વિજયાદશમીના દિવસે RSSના ગણવેશમાં ફુલ પેન્ટનો થશે સમાવેશ

New Update
વિજયાદશમીના દિવસે RSSના ગણવેશમાં ફુલ પેન્ટનો થશે સમાવેશ

છેવડે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા તેમની વર્ષો જૂના ખાખી હાફ પેન્ટનો ત્યાગ કરવાના નિર્ણયનો અમલ વિજયાદશમીના રોજ કરવામાં આવશે અને આરએસએસના સ્વયંસેવકો ખાખી ચડ્ડીના બદલે ખાખી પેન્ટ ધારણ કરશે.

1925માં આરએસએસની રચના બાદ નવ દાયકાઓ બાદ આરએસએસના ગણવેશ તરીકે હાફ પેન્ટના બદલે ફુલ પેન્ટ રાખવાના નિર્ણય પર અમલ થવા જઇ રહ્યો છે. આ હેતુ માટે આશરે 10,000 યુનિફોર્મનો સેટનું કન્સાઇનમેન્ટ આરએસએસના હેડ ક્વાર્ટરની નજીકની શોપમાં મોકલી દેવામાં આવ્યું છે. જેમાં વ્હાઇટ શર્ટ, કાળી ટોપી, બ્લેક લેધર બેલ્ટ, ઘાટા બદામી રંગના મોજા, કાળા બૂટ અને પહેલીવાર તેમાં ફુલ પેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલા તબક્કામાં આરએસએસને 7 લાખ ટ્રાઉઝર્સ પૂરા પાડવાનો લક્ષ્ય છે. આરએસએસ દ્વારા તેમનો આ નવો ગણવેશ 11 ઓક્ટોમ્બરના રોજ વિજયાદશમીના દિવસે ધારણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવ દાયકા પહેલાં વિજયાદશમીના દિવસે જ આરએસએસની રચના કરવામાં આવી હતી.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police

Latest Stories