હાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત

New Update
હાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત

હાંસોટ ખાતે એકજ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં ખાનગી ફાયરિંગ થતા શાબીર કાનુગાને માથાના ભાગે ગોળી વાગી હતી, અને તેઓનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી માહિતી અનુસાર હાંસોટ બજારમાં શાબીર કાનુગા અને પપ્પુ ખોખરના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો, અને જોત જોતામાં આ મામલો હિંસક બની ગયો હતો.

જૂથ અથડામણમાં પપ્પુ ખોખરના પુત્રએ ખાનગી ફાયરિંગ કરતા શાબીરને માથાના ભાગે ગોળી વાગી હતી. તેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ ધનિષ્ટ સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઘટનાને પગલે હાંસોટનું વાતાવરણ તંગ બની જતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસે પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યુ છે.

Read the Next Article

છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો

છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો

New Update
Bodeli Nagarpalika

છોટાઉદેપુરના બોડેલીના રહેવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બોડેલીમાં નગરપાલિકા કાર્યાન્વીત કરવાની મંજૂરી આપી છે અને 21 ઓગષ્ટથી બોડેલી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઇ છે. છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તથા સંખેડા અને નસવાડી અને છોટાઉદેપુર મહત્વના નગરો છે. છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે અને જિલ્લાના લોકોને છેક વડોદરા સુધી ના આવવું પડે તે માટે છોટાઉદેપુર જિલ્લાની રચના કરાઇ હતી. હવે જિલ્લાના મહત્વના નગરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી બોડેલીના નગરજનોને માળખાકીય સુવિધાઓ સહિત અન્ય રાજ્ય સરકારના લાભમાં વધારો થશે તથા ગ્રાન્ટો પણ મળશે.