Connect Gujarat
અમદાવાદ 

રાજયમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ નોધાયા, 21 દર્દીઓ થયા સાજા

રાજયમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ નોધાયા, 21 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના 22 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10086 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,96,273 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,67,17,912 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 9, વલસાડમાં 4, જૂનાગઢમાં 2, નવસારી, વડોદરામાં 1-1 સહિત કુલ 22 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 6, વલસાડમાં 5, સુરતમાં 4, રાજકોટમાં 3, વડોદરા, નવસારી અને ભાવનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 213 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 207 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815981 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Next Story