Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : છેલ્લા 2 બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો તૂટ્યા, AMCનું મૌન...!

અમદાવાદ : છેલ્લા 2 બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો તૂટ્યા, AMCનું મૌન...!
X

અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 40થી વધારે હેરિટેજ મકાનો તોડી પાડી ત્યાં નવું બાંધકામ કરી દેવાયું છે, અથવા તો ત્યાં માત્ર ખુલ્લો પ્લોટ પડ્યો છે. હેરિટેજ મકાનને પુન: રીનોવેશન કરી હેરિટેજ લુક સમાન બનાવવાની વાતો વચ્ચે જ ટી-ગર્ડર પર બનતા મકાનોનો ધરમૂળથી હેરિટેજ લુક બદલી નાંખે છે.

જોકે, AMCની સત્તાવાર યાદી પ્રમાણે શહેરમાં 2039 મિલકતોનો હેરિટેજમાં સમાવેશ થાય છે. જેમાં 67 મિલકતોને સૌથી ગ્રેડ-1માં સમાવેશ થયો છે. તો 427 ગ્રેડ-2 વર્ગમાં સમાવેશ થયો છે. તો 1545 મિલકતોનો ગ્રેડ-3માં સમાવેશ થયો છે. શહેરની 175 પોળમાં આ 2039 મિલકતો હેરિટેજ છે. જોકે, છેલ્લા 2 વર્ષમાં જ 40થી વધારે મકાનો ધરાશાયી થઇ ગયા છે. નોંધનીય છે કે, 2019માં જ મ્યુનિ. દ્વારા આ રીતે હેરિટેજ મકાનો તૂટીને તેના બદલે અદ્યતન મકાન બની ગયા હોય, તેવા 31 મકાનોને નોટિસ આપી કેટલાકને તોડી પાડ્યા હતા. શહેરમાં અનેક હેરિટેજ મકાનોના માલિક જ્યારે રિપેરિંગ માટે મંજૂરી માગે છે, ત્યારબાદ અનેક કિસ્સામાં તો તેનો લુક હેરિટેજ જેવો રહેતો જ નથી. આવા મકાનોનો બાદમાં કોમર્શિયલ તરીકે ઉપયોગ થતો હોય છે. જમાલપુરમાં ઘાંચીની પોળમાં બિલ્ડિંગને ટી-ગર્ડર પર રિનોવેશનની મંજૂરી આપ્યા બાદ તેનો લુક જ બદલાઈ ગયો છે. જેને કારણે પોળોની સુંદરતામાં ઘટાડો થયો છે.

Next Story