અમદાવાદ: ઓઢવ ખાતે રોકડિયા હનુમાન મંદિરમાં દાદાની જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ
અમદાવાદના ઓઢવ વેપારી મહામંડળ દ્વારા શ્રી રોકડિયા હનુમાનજી મંદિર મા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk16 April 2022 10:54 AM GMT
X
Connect Gujarat Desk16 April 2022 10:54 AM GMT
સમગ્ર ભારતમાં 2 વર્ષ બાદ ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ઓઢવ વેપારી મહામંડળ દ્વારા શ્રી રોકડિયા હનુમાનજી મંદિર મા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદ ઓઢવ વેપારી મહામંડળના વેપારીઓએ હનુમાન જયંતીની અનોખી ઉજવણી કરી હતી.
વહેલી સવારથી દાદાને રીઝવવા હનુમાન ભક્તોએ કતારો લગાવી હતી. આ પ્રસંગે મહાપસાદ સાથે ભંડારાનું પણ કરાયુ આયોજન કરવામાં આવ્યું હતું. આકડાની માળા સાથે દાદાની પ્રતિમાને શ્રદ્ધા સાથે સિંદૂર ચઢાવવામાં આવ્યું હતું. છેલ્લા 16 વર્ષથી સમસ્ત ઓઢવ વેપારી મહામંડળ સતત હનુમાન જયંતીની ઉજવણી કરતું આવે છે. આ પ્રસંગે શોભાયાત્રા સાથે વેપારીઓ રામલક્ષ્મણ જાનકી જય બોલો ના જયઘોષ સાથે હનુમાન મહારાજને રિઝાવવા જોડાયા હતા.
Next Story