અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને મેળવી ગાંધી આશ્રમની માહિતી, જુઓ કોમ્યુનિકેટર સાથેની ખાસ વાતચીત...

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માને આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

New Update
અમદાવાદ : કેજરીવાલ-ભગવંત માને મેળવી ગાંધી આશ્રમની માહિતી, જુઓ કોમ્યુનિકેટર સાથેની ખાસ વાતચીત...

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માને આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. લગભગ 30 મિનિટના રોકાણ દરમ્યાન બન્ને મુખ્યમંત્રીઓએ ગાંધી આશ્રમ વિષે આશ્રમના કોમ્યુનિકેટર બેન પાસેથી અનેક માહિતી મેળવી હતી.

અમદાવાદના ગાંધી આશ્રમના કોમ્યુનિકેટર લતાબેન કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. લતાબેને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી હતી. ભગવત માને ચરખા વિશે વાત કરી હતી. તેઓ ચરખા વિશે ઘણું જાણતા હતા. તેઓએ પંજાબમાં પણ ચરખો ચલાવ્યો છે. પરંતુ અહીંયા અને પંજાબના ચરખામાં ઘણો ફેર છે. જેમાં ચરખાનું મોંઢીયું અલગ હોવાથી દોરો ગુંચવાતો નથી. બન્ને નેતાઓએ ગાંધીજીના ઘર હ્ર્દયકુંજની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. લતાબેને વધુમાં જણાવ્યુ હતું કે, પ્રદર્શનની નિહાળતા સમયે તેઓએ અનેક પ્રશ્નો પૂછ્યા હતા.

જેમ કે, મિલ મજૂરો જ્યારે હડતાળ પર ઉતર્યા ત્યારે તેઓ સાથે ગાંધીજી ઉભા રહ્યા હતા, તો ગાંધીજીએ મિલ મજૂરોને કેવી રીતે મદદ કરી હતી તે સહિતની વાતચીત કરી હતી. ચરખાથી લઇ હૃદયકુંજનું મહત્વ અને ગાંધીજીના જીવન વિષે બન્ને મુખ્યમંત્રીઓએ માહિતી મેળવી હતી.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise 

Latest Stories