અમદાવાદ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યની “દરકાર”

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.

New Update

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારાશાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અનેરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં હેઠળ અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક બાળકોમાં ગંભીર રોગોનું નિદાન કરી સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે.

કોઈ પણ સમસ્યાને પ્રારંભિક તબક્કે જ ઓળખી લેવામાં આવે તો તેનો ઉકેલ આસાન બને છે. રોગને પણ આ જ બાબત લાગુ પડે છે. કોઈપણ રોગનું નિદાન પ્રારંભિક તબક્કે થાય તો દર્દીના જીવનું જોખમ ઘટી જાય છે. આ અભિગમને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાળકો અને કિશોરોની આરોગ્યની સંભાળ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમઅમલી છે. આ યોજના હેઠળ નવજાત શિશુથી લઈ 18 વર્ષ સુધીના કિશોરોને આવરી લેવામાં આવે છે. મહત્વનું એ છે કેઆ કાર્યક્રમમાં શાળાએ જતા હોય તેવા બાળકો ઉપરાંત શાળાએ ન જતા હોય તેવા બાળકોને પણ આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય સંભાળની આ અભૂતપૂર્વ પહેલ હેઠળ બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત 37 બાબતોની તપાસ કરી સારવાર કરવામાં આવે છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દર 6 મહિને આંગણવાડીઓમાં અને દર વર્ષે શાળાઓમાં બાળકોના આરોગ્યની તપાસ કરે છે. કાર્યક્રમમાં દર વર્ષે 1 કરોડ 60 લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવે છે. કોકલિયર ઈમ્પ્લાન્ટટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવા ગંભીર રોગોથી ગ્રસ્ત બાળકોની મફત તપાસ અને સર્જરી કરવામાં આવે છે. લગભગ અઢી દાયકાથી આ કાર્યક્રમ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અમલી છે. વર્ષ 2010માં "શાળા આરોગ્ય સપ્તાહ"માં સમાવેશ થયા બાદ આ કાર્યક્રમનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. વર્ષ 2014માંરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે તેનું એકીકરણ કર્યા બાદ 992 વિશિષ્ટ મોબાઇલ હેલ્થ ટીમો પણ બનાવવામાં આવી છે. આમ,  શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સહયોગથી બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓની સમયસર ઓળખ અને નિદાનની પ્રક્રિયા વધુ સુદ્રઢ બની છે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise