અમદાવાદ: પ્રેમપ્રકરણ બાબતે યુવતીના ભાઈએ પ્રેમીને માર મારવાની આપી સોપારી,પછી જે થયું એ ચોંકાવનારું હતું

અમદાવાદ શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલા યુવકનો મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું આવ્યું સામે

New Update

અમદાવાદ શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલા યુવકનો મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisment

અમદાવાદ શહેરનાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે ટ્રેક પરથી 2 દિવસ પહેલા લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જોકે તપાસ દરમિયાન ત્યાં મૃતદેહ મળી આવ્યો હતો તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નિશાન મળી આવ્યા હતા. આ મામલે તપાસ કરતી પોલીસે એક સીસીટીવી ફુટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કીંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે વિજય ભરવાડ, અનમોલ યાદવ, અને પ્રવીણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી યુવતીના ભાઈએ આપી હતી.

સીસીટીવી ફુટેજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના ભાઈએ આ સોપારી આપી હતી અને આરોપીઓએ રાજેન્દ્રને માર મારવાનો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ એ અંગેની તપાસ હાથ ધરી છે.

Advertisment