અમદાવાદ: વડાપ્રધાને જે આંબાનું બીજ રોપ્યું હતુ તેની કેરી અમે લોકો છીએ:સી.એમ.ભુપેન્દ્ર પટેલ

અમદાવાદના નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી

Update: 2021-10-18 08:56 GMT

અમદાવાદના નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી.જેમાં સ્વામીનારાયણ ગુરુકુળના મહંત દ્વારા મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભુપેન્દ્ર પટેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.સી.એમ.એ સંબોધન કરતા જણાવ્યું હતું આપણા શરીરમાં રહેલા આત્મામાં પ્રભુનો વાસ રહેલો છે.જેથી લોકોને હેરાન પરેશાન ન કરવા જોઇએ. ભારતના વડાપ્રધાને જે આંબાનું બીજ રોપ્યું હતુ તેની કેરી અમે લોકો છીએ. નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિકાસ માટે અમારી સરકાર હંમેશા કાર્યરત રહેશે.

Tags:    

Similar News