અંકલેશ્વર: પિતાની પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાને ભોજન જમાડી સેવા કાર્ય કરાયું

Update: 2021-01-31 11:53 GMT

ભરુચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ભૂકયાને ભોજન સેન્ટરમાં ગરીબોને ભોજન જમાડી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલના પિતા સ્વ. મનહર પટેલની પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. સુરેશ પટેલના માર્ગદર્શન હેઠળ તેમના ભાઈ વિનોદ પટેલ અને પરિવારજનો દ્વારા પ્રતિન ચોકડી વિસ્તારમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટરમાં ગરીબોને ભોજન જમાડવામાં આવ્યું હતું. પિતાની આત્માને શાંતિ મળે એ માટે જરૂરિયાતમંદોને ભોજન જમાડી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું

Tags:    

Similar News