અંકલેશ્વર: ચુંટણી પછી પોલીસ "રીલેકસ" મુડમાં પણ તસ્કરો એકશનમાં, જુઓ કયાં થઇ ચોરી

Update: 2021-03-05 11:25 GMT

સ્થાનિક સ્વરાજની ચુંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ જાણે રીલેકસ થવાના મુડમાં હોય તેમ લાગી રહયું છે. રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી અંકલેશ્વરના બંધ મકાનમાંથી 1.20 લાખ રૂપિયા ઉપરાંતનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયાં છે.

હોળીનો તહેવાર નજીક આવતો હોય છે તે દરમિયાન ચોરીના બનાવો પણ વધી જતાં હોય છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રિલેક્સ મૂડમાં હોય તેમ પોલીસ પેટ્રોલિંગ ઓછું થતાની સાથે તસ્કરો એકશનમાં આવી ગયાં છે. અંકલેશ્વરના મીત એપાર્ટમેન્ટમાં રહેતા અઝહરુદ્દીન મુલતાની પોતાના બીજા ઘરે કામ અર્થે રોકાયા હતાં. આ સમયે મીત એપાર્ટમેન્ટમાં તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી તસ્કરો કબાટમાં મુકેલા 1.20 લાખ રૂપિયા રોકડા તથા સોના-ચાંદીના દાગીના લઇ ફરાર થઇ ગયાં હતાં. ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની પુરેપુરી શંકા રહેલી છે. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News