ભરૂચ : અંકલેશ્વરના જુના કાસીયા ગામમાં કેળના ખેતરમાંથી 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાયો

Update: 2020-09-09 07:44 GMT

અંકલેશ્વર તાલુકાના જુના કાસીયા ગામની સીમમાં કેળના ખેતરમાંથી જીવદયા પ્રેમીની ટીમે 10 ફૂટ લાંબા અજગરને ઝડપી પાડી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુશાર અંકલેશ્વરના જુના કાસીયા ગામની સીમમાં રમેશ પટેલે પોતાના કેળના વાવતેર વાળા ખેતરમાં કામગીરી કરી રહ્યાં હતા. તે દરમ્યાન મહાકાય અજગરને જોતા તેઓ ગભરાય ગયા હતા. અને તેઓએ ભરૂચના જીવદયા પ્રેમીને જાણ કરતા જીવદયા પ્રેમીની ટીમના સભ્યો જે તે સ્થળે આવી પહોંચી સલામત રીતે 10 ફૂટ લાંબા મહાકાય અજગરને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ અજગરને સુરક્ષીત સ્થળે છોડી મૂકાયો હતો.

Tags:    

Similar News