અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ સંચાલકનું સારવાર દરમ્યાન મોત, પોલીસે હત્યાની કલામનો કર્યો ઉમેરો

સરદાર પટેલ હોસ્પિટલમાં નજીક એક ટ્રાવેલ્સ સંચાલક પર ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી

Update: 2022-08-09 10:58 GMT

અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલમાં નજીક એક ટ્રાવેલ્સ સંચાલક પર ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલ ટ્રાવેલ્સ સંચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું આ અંગે શહેર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક તારીખ 3 જીઓગષ્ટની રાત્રિએ સદાકત અહમદ વાડીવાલા નામના વ્યક્તિ ઉપર ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં અહમદ વાડીવાલાને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી દરમ્યાન સારવાર દરમ્યાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજયું છે, આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે હત્યાની કલમનો ઉમેરો વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ અંગત અદાવતે ફાયરિંગ કર્યું હોવાની હાલ સત્તાવાર માહિતી મળી રહી છે જો કે પોલીસે વિવિધ શકમંદોની પણ પૂછપરછ શરૂ કરી છે અને તેના આધારે તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. 

Tags:    

Similar News