ભરૂચ: વોર્ડ નંબર 1માં નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરાયું

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં અમૃતમીશન અંતર્ગત 35 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Update: 2022-02-18 10:45 GMT

.ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં અમૃતમીશન અંતર્ગત 35 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1માં અમૃત ગાર્ડનનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અમૃત મિશન અંતર્ગત 35થી વધુના ખર્ચે મુન્શી મેમોરિયલ ટ્રસ્ટ ,માટલીવાળા ટ્રસ્ટ તથા અન્ય દાતાઓના સહયોગથી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે ભરૂચના નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ,કારોબારી અધ્યક્ષ નરેશ સુથાર વાલા,પૂર્વ પ્રમુખ સુરભી તંબાકુવાલા, નાગર સેવક સલીમ અમદાવાદી, સમસાદ અલી સૈયદ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News