ભરૂચ: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

Update: 2024-02-19 15:54 GMT

આજે શિવાજી મહારાજની જન્મજયંતિ

ઠેર ઠેર વિશેષ કાર્યક્રમનું આયોજન

ભરૂચમાં વિશાળ શોભાયાત્રા નિકળી

મોટી સંખ્યામાં લોકો જોડાયા

શ્રવણ ચોકડી ખાતેથી શોભાયાત્રાનું આયોજન

આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા, ત્યારે આ શોભાયાત્રા ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલા સંકટ મોચન હનુમાન મંદિરે ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Tags:    

Similar News