ભરૂચ : નેત્રંગ ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય...
આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા સહિત આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુવા ઉપ પ્રમુખ શેરખાન પઠાણ, ઝઘડીયા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા અને નરપત વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ ખાતે બિરસા મુંડા ચોકડીથી ભવ્ય અને વિશાળ રેલી યોજવામાં આવી હતી. જે નેત્રંગ ચાર રસ્તાથી પ્રસ્થાન થઈ જીન બજાર, મંગળવાળી વિસ્તાર, ગાંધીબજાર, જવાહર બજારથી ફરી પરત ચાર રસ્તા ખાતેથી પેટ્રોલ પંપ ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં આદિવાસી પરિધાનો સાથે યુવાનો અને આગેવાનો બેન્ડના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે જ આગામી ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને લઇને નેત્રંગ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે.