ભરૂચ: અંકલેશ્વરના ઉછાલી ગામે મંદિરના મહંતની હત્યાથી ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Update: 2022-08-27 06:19 GMT

અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.ભરૂચ: અંકલેશ્વરના ઉછાલી ગામે મંદિરના મહંતની હત્યાથી ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ

ગત તારીખ-૨૫મી ઓગસ્ટના રોજ અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંત મંગળદાસ ભયજી વસાવાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગેની જાણ મહંતના પુત્ર નટવર મંગળદાસ વસાવાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો જો કે પોલીસે ડોકટરની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું જેમાં માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના ઘાથી ઇજાઓ પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું.આ મામલામાં તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને આ હત્યા પાછળના કારણો શોધવાની કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News