ભરૂચ : ઝઘડીયાના ફિચવાડા-ચાંદિયાપુરાના માર્ગનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરાયું

ઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના માર્ગના કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું..

Update: 2024-02-29 12:54 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના માર્ગના કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના રસ્તાનું ખાતમુર્હૂત ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ચાંદિયાપુરા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના વિકાસના કામોની ગાથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જણાવી હતી, જ્યાં અંદાજિત 1 કરોડ 18 લાખના ખર્ચે 2 કિમી સુધીનો માર્ગ બનાવવમાં આવનાર છે. આ રસ્તો સાંસદ સભ્ય મનસુખ વસાવાની ભલામણથી મંજૂર કરવામાં આવતા વર્ષો પછી આ માર્ગનું નવીનીકરણ થવાનું હોય જેથી ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ હતી. ગ્રામજનો દ્વારા સાંસદ તેમજ ગામના સરપંચ અને ઉપસ્થિત મહાનુભવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના સભ્ય અરૂણ વસાવા, વસંત્ત દેસાઈ, હરીન્દ્રસિંહ, ફિચવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુમિત્રા વસાવા, નરેશ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News