ભરૂચ : રામનવમી નિમિત્તે બજરંગ દળ દ્વારા તવરાથી ઝનોર સુધી ભવ્ય બાઈક રેલી યોજાય…

આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-03-30 12:58 GMT

આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આજે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનનો જન્મોત્સવને લઇ સમગ્ર ભરૂચ જિલ્લામાં રામ જન્મોત્સવની વિવિધ સ્થળો પર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા તવરાથી ઝનોર ગામ સુધી બજરંગ દળના યુવકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નવા તવરા બસ સ્ટોપ પાસેથી ઝાડેશ્વર રામ જાનકી આશ્રમના મહંતે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરી હતી. નવા તવરા, જુના તવરા, શુકલતીર્થ, મંગલેશ્વર, નિકોરા, અંગારેશ્વર, ધર્મશાળા, સામલોદ, ડાભાલી, સિંધોડ અને કરમાલી થઈ બાઈક રેલી કરજણ ગામે પહોચી હતી, જ્યાં મહાઆરતી કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા, ત્યારે સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

Tags:    

Similar News