ભરૂચ : શાળામાં ભક્તિમય વાતાવરણ સર્જાય તે હેતુથી નારાયણ વિદ્યાલય ખાતે સુંદરકાંડનું પઠન કરાયું

ભરૂચ શહેરમાં નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિધાલય ખાતે સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-03-06 08:07 GMT

ભરૂચ શહેરમાં નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિધાલય ખાતે સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણનગર-2માં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે શાળામાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, વાલીગણ, શિક્ષકગણ સૌને શ્રેષ્ઠ શાંતિ અને બળ પ્રાપ્ત થાય તથા શાળામાં ભક્તિમય વાતાવરણનું સર્જન થાય તે હેતુથી સુંદરકાંડના પાઠનું પઠન કરવામાં આવ્યુ હતું. સંદિપકુમાર પુરાણીએ વૃંદ સાથે રસાળ શૈલીમાં સુંદરકાંડનું પઠન કરી ભક્તિસભર માહોલનું સર્જન કર્યું હતું.

Tags:    

Similar News