ભરૂચ: સ્ટેચ્યુ પાર્ક ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજનું સ્થાપન કરાયું

કેન્દ્ર સરકાર દ્વારા તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

Update: 2022-08-13 09:36 GMT

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજનું સ્થાપન અને રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકાર દ્વારા તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રધ્વજનું સ્થાપન અને રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News