ભરૂચ: 5 દિવસથી ગુમ 20 વર્ષીય યુવાનનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો

Update: 2021-06-26 11:45 GMT

ભરૂચના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાંથી યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે પહોંચી હતી જે બાદ તેનોપરિવાર તેને નદીકાંઠે શોધવા નીકળતા કુકડવાડાનર્મદા નદીના કાંઠેથી વિકૃત હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા તેના કપડા ઉપરથી પરિવારે ઓળખ કરતા.

પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતા રાકેશ ધોળાવાલાનો ૨૦ વર્ષીય પુત્ર જસ છેલ્લા પાંચ દિવસથી ગુમ થયો હોય જેની ફરિયાદ પોલીસ મથકે અપાઈ હતી તે દરમિયાન પરિવારે જસની શોધખોળ નર્મદા નદીના કાંઠે કરતાં તેનો મૃતદેહ ભરૂચના કુકરવાડા સ્થિત નર્મદા નદીના કાંઠેથી મળી આવ્યો હતો.

મૃતદેહ વિકૃત હાલતમાં હોવાના કારણે તેના કપડા પરથી મૃતકના પરિવારે ઓળખ કરી હતી અને પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. યુવાને અંતિમવાદી પગલું ભર્યું છે કે પછી તેનું મોત અન્ય કોઈ કારણોસર થયું છે એ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags:    

Similar News