સાબરકાંઠા: પ્રાંતિજના જેસગપુરા પાસે બાઇક સ્લીપ થઈ જતા જન્મદિવસે જ યુવાનનુ નીપજયું મોત

પ્રાંતિજના ભાગપુરનો બાઇક ચાલક ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર સાથે ટકરાયો

Update: 2022-09-16 05:31 GMT

અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે આઠ પર પ્રાંતિજના જેસગપુરા પાટીયા પાસે હિંમતનગર તરફથી આવી રહેલ બાઇક અચાનક રોડ ઉપર સ્લીપ થઈ ગઈ હતી. જેમાં પ્રાંતિજના ભાગપુરનો બાઇક ચાલક ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર સાથે ટકરાયો હતો અને ત્યાંથી ડિવાઈડરમા રહેલ ઝાડ સાથે ટકરાતા તેનુ ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો બાઇક પાછળ બેઠેલ તુષાર સિંહ રાઠોડ રહે પ્રાંતિજનાને શરીરે ઇજાઓ પોહચતા તેને ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Tags:    

Similar News