સુરેન્દ્રનગર : નવજાત બાળકીના મૃતદેહનો નિકાલ કરતી સગીરા અને તેની માતા વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ..!

Update: 2023-04-05 11:29 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામની સગીરા અને તેની માતા સામે નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવા મામલે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વિરમગામ તાલુકાના શખ્સે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામની સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી, ત્યારે ભોગ બનનાર સગીરાએ કુમારખાણ આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, ત્યારબાદ સગીરા અને તેની માતાએ કઠેચી ગામની સીમમાં મંદિર નજીક નવજાત બાળકીને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને દફનાવી દીધો હતો. બનાવના પગલે ડીવાયએસપીને સમગ્ર મામલે તપાસ દરમિયાન શંકા જતા સગીરા અને માતા વિરુદ્ધ નવજાત બાળકીના મૃતદેહનો છુપી રીતે નિકાલ કરવા મામલે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. નવજાત બાળકીના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક રિપોર્ટ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો નવજાત બાળકીને જીવિત કે, મૃત હાલતમાં દફનાવી તે પીએમ રિપોર્ટ બાદ જ માલૂમ પડશે.

Tags:    

Similar News