વડોદરા : આજવા સરોવરના 62 દરવાજાના સમારકામની કામગીરી પૂર્ણતાના આરે, પાણીના સંગ્રહની ક્ષમતામાં ફેરફાર કરાયો

આજવા ડેમના 62 દરવાજાના ગેટનું સમારકામ પૂર્ણ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પૂરું પાડવાનું આયોજન 62 દરવાજામાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે

Update: 2022-05-26 12:13 GMT

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને પાણી પૂરું પાડનાર આજવા સરોવરના 62 દરવાજાનું કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. જેનું સમારકામની કામગીરી પૂર્ણ થવાને આરે છે.

વડોદરા શહેરના આજવા સરોવરના 62 દરવાજાના ગેટના સમારકામ કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. દર વર્ષે ચોમાસા પૂર્વે કરવામાં આવતી સમારકામની મોટાભાગની કામગીરી થઈ ગઈ છે. 62 દરવાજાના ગોળા બહાર કાઢવા, લેવલીંગ કરવું, દરવાજા સેટીંગ કરવા, કલર કામ કરવું, ગ્રેફાઇટ પાવડર કોટિંગ કરવું વગેરે કાર્ય લગભગ થઇ ગયું છે. વડોદરા શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવર જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે તેનું પાણી આ 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. આજવા સરોવરના પાણી માટે સામાન્ય રીતે દરવાજાનું લેવલ 214 ફૂટે સેટ કરવામાં આવે છે. પરંતુ વરસાદ અને તંત્રની મળતી સૂચનાના આધારે લેવલમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આ વખતે હજી લેવલ સેટ કરવાનું બાકી છે. આ તમામ દરવાજા એકદમ સરળતાથી ચાલે તે માટે ઓઇલિંગ કરવા ઉપરાંત તેની મજબૂત લોખંડની સાંકળ તેમજ પુલ વગેરેને કાટ લાગે નહીં તે માટે ગ્રેફાઇટ પાઉડર પણ ઘસવામાં આવે છે અને આ કામગીરી કર્મચારીઓ મેન્યુઅલી કરી રહ્યા છે.

Tags:    

Similar News