જેતપુર શહેરમા મકાનની દીવાલ માથે પડતા એક આઘેડનુ મોત થતા ગમનો માહોલ સર્જાયો હતો.
જેતપુર શહેરના ગોદરા વીસ્તારમા આવેલ અરવા ઘાટ નજી રહેતા રઉભાઈ ઓડભાઈ સૈખવા ઉ.૫૦ આજે બપોરના સુમારે પોતાના ઘરમા હતા. ત્યારે બાજુમા આવેલ મકાનની દીવાલ ઓચીતી ધરાસય થતા દીવાલના મોટા બેલા રઉભાઈ ઉપર પડતા ઘટના સ્થળે જ રઉભાઈનુ મોત થતા શોકની લાગણી છવાઇ જવા પામી હતી. આ બનાવની જાણ જેતપુર પોલીસને થતા તુરંત ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મુર્તક ની ડેડ બોડી જેતપુર સીવીલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવી હતી. તેમજ આ બનાવની વધુ તપાસ જેતપુર પોલીસ ચલાવી રહેલ છે.