નવસારી: ઘેરિયા નૃત્ય કરતા આદિવાસીઓ જિલ્લાભરમાં નૃત્ય કરીને લોકોને મતદાન કરવાનો આપ્યો સંદેશો
દક્ષિણ ગુજરાતનું ઘેરિયા નૃત્ય આદિવાસી સમાજનું લોકોપ્રિયનુંત્ય છે. જે ખાસ કરીને નવરાત્રી અને દિવાળીમાં લોકોને આશીર્વાદ આપવા શહેરો અને ગામડાઓમાં ફરે છે.
પરંતુ આજથી શરૂ થયેલ પેહેલ લોકોને મતદાન કરવાની જાગૃતિ હેઠળ ઘેરિયા નૃત્ય કરતા આદિવાસીઓ જિલ્લાભરમાં નૃત્ય કરીને લોકોને મતદાન કરવાનો સંદેશો આપી રહ્યા છે. સરકારીતંત્રને સાથે રાખીને ઘેરિયા નૃત્ય કરીને શાળાઓમાં ફરી રહ્યાં છે. જ્યાં વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રણ આપીને મતદાન કરવાની પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. જેનાથી મતદાનની ટકાવારીમાં.વધારો કરવામાં મહત્વનો વધારો કરી શકાય.