સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે CAA-NRCના સમર્થનમાં રામધૂન સહિત ધરણાં યોજાયા

Update: 2020-02-05 10:00 GMT

સાબરકાંઠા જિલ્લાના

પ્રાંતિજ ખાતે CAA અને NRCના સમર્થનમાં રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાંતિજના ભાખરીયા બસ સ્ટેન્ડ નજીક ડૉ. બાબા સાહેબ આંબેડકર કોમ્પ્લેક્ષ ખાતે રાષ્ટ્રીય યુવા પરિષદ ગુજરાત દ્વારા CAA અને NRCના સમર્થનમાં એક દિવસ માટે રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર ધરણાં પ્રદર્શનમાં મહંત સુનીલદાસજી મહારાજ, નૃંપાશ પટેલ, શામળ પટેલ, મહેશ પટેલ, રમેશ પટેલ, અનુજ પટેલ, દિલીપ રાવળ, નટુભાઇ, જી.એસ.પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય યુવા પરિષદ (ગુજરાત)ના સભ્યો ઉપસ્થિત રહી રામધૂન બોલાવી CAA અને NRCને સમર્થન આપ્યું હતું.

Tags:    

Similar News