MI vs KKR : ત્રણ વર્ષની રાહ પછી અર્જુન તેંડુલકરને મળી મુંબઈ ઈન્ડિયન્સ કેપ

અર્જુન તેંડુલકર પર આજે પોતાને સાબિત કરવાની પડકાર હશે. ટોસ માટે આજે રોહિત શર્માને સ્થાને સૂર્યાકુમાર યાદવ આવ્યો હતો

Update: 2023-04-16 11:33 GMT

ટોસ માટે આજે રોહિત શર્માને સ્થાને સૂર્યાકુમાર યાદવ આવ્યો હતો. તેણે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મળતી માહિતી અનુસાર રોહિત શર્માને પેટમાં સમસ્યા હોવાને કારણે તે કેપ્ટનશિપ નહીં કરે. તેના સાથે સૂર્યાકુમાર યાદવ આજની મેચમાં કેપ્ટનશિપ કરશે.  મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2023ની 22મી મેચ રમાઈ રહી છે.

આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અર્જુન તેંડુલકર પર આજે પોતાને સાબિત કરવાની પડકાર હશે. ટોસ માટે આજે રોહિત શર્માને સ્થાને સૂર્યાકુમાર યાદવ આવ્યો હતો. તેણે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મળતી માહિતી અનુસાર રોહિત શર્માને પેટમાં સમસ્યા હોવાને કારણે તે કેપ્ટનશિપ નહીં કરશે. તેના સાથે સૂર્યાકુમાર યાદવ આજની મેચમાં કેપ્ટનશિપ કરશે. રોહિત શર્માને મુંબઈના ઈમ્પેક્ટ ખેલાડીઓની લિસ્ટમાં છે. તે બીજી ઈનિંગમાં ઓપનિંગ પણ કરી શકે છે.

Tags:    

Similar News