Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરની મુલાકાત લેતાં રેંજ આઇજી, ઉદ્યોગકારોની સાંભળી સમસ્યા

ભરૂચ : અંકલેશ્વરની મુલાકાત લેતાં રેંજ આઇજી, ઉદ્યોગકારોની સાંભળી સમસ્યા
X

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગકારો સાથે વડોદરાના રેંજ આઇજી હરિકૃષ્ણ પટેલે બેઠક યોજી હતી. જેમાં ઉદ્યોગો અને પોલીસ વચ્ચે સમન્વય સાધી પ્રજાલક્ષી પ્રોજેકટો સાકાર કરવા હાકલ કરાય હતી.

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં 1,500 કરતાં વધારે કંપનીઓ આવેલી છે. તેના સુચારૂ સંચાલન માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તેમજ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન કાર્યરત છે. વડોદરા રેંજના નવનિયુકત આઇજી હરીકૃષ્ણ પટેલે શુક્રવારે બંને એસોસીએશનના હોદેદારો અને સભ્યો સાથે બેઠક યોજી હતી. અંકલેશ્વરના એઆઇએ હોલ ખાતે આયોજીત બેઠકમાં ઉદ્યોગકારોએ પોલીસ વિભાગને લગતી તેમની સમસ્યાઓ રજુ કરી હતી. રેંજ આઇજીએ સમસ્યાઓ અને પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે ખાતરી આપી હતી. ખાસ કરીને ઔદ્યોગિક વસાહતોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તથા ગુનાખોરી બેફામ ન બને તે માટે ઉદ્યોગો તરફથી રજુઆત કરાય હતી. બેઠક દરમિયાન ઉદ્યોગો અને પોલીસ વચ્ચે સમન્વય સાધી પ્રજાલક્ષી પ્રોજેકટો સાકાર કરવા હાકલ કરાય હતી.

Next Story