અંકલેશ્વર : જીતાલી ગામે તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબ્યા, બન્નેના મૃતદેહને બહાર કઢાયા...

જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જીતાલી ગામ નજીક આવેલી સોસાયટીમાં રહેતો 15 વર્ષીય આકાશ રામ નિવાસ યાદવ અને 14 વર્ષીય અભિષેક પીન્ટુભાઈ ચૌહાણ ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલ તળાવમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન બન્ને કિશોરો તળાવના ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેઓ ડૂબી ગયા હતા. બનાવ અંગેની જાણ તાલુકા પોલીસ મથકે થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ તળાવમાં શોધખોળ કરતા બન્ને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, બન્ને કિશોરના મૃતદેહ બહાર કાઢતા હાજર ટોળા વચ્ચે પરિવારજનોના રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે બન્ને કિશોરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ:ડો. અમિત ભગુભાઈ ભીમડાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત,કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં આપી છે ઉત્કૃષ્ટ સેવા

મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો

New Update
Dr Amit Bhagu Bhimada
ભરૂચના  અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. ડો.અમિત ભીમડા છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

Dr Amit Bhagu Bhimada

તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને  શુભેરછા પાઠવવામાં આવી છે.
Latest Stories