Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જીતાલી ગામે તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબ્યા, બન્નેના મૃતદેહને બહાર કઢાયા...

જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર : જીતાલી ગામે તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબ્યા, બન્નેના મૃતદેહને બહાર કઢાયા...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલી સોસાયટી પાછળના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જતા બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જીતાલી ગામ નજીક આવેલી સોસાયટીમાં રહેતો 15 વર્ષીય આકાશ રામ નિવાસ યાદવ અને 14 વર્ષીય અભિષેક પીન્ટુભાઈ ચૌહાણ ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલ તળાવમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન બન્ને કિશોરો તળાવના ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેઓ ડૂબી ગયા હતા. બનાવ અંગેની જાણ તાલુકા પોલીસ મથકે થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ તળાવમાં શોધખોળ કરતા બન્ને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, બન્ને કિશોરના મૃતદેહ બહાર કાઢતા હાજર ટોળા વચ્ચે પરિવારજનોના રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે બન્ને કિશોરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story