ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય ઉપર હુમલો કરનાર 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર : ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય ઉપર હુમલો કરનાર 4 શખ્સો ઝડપાયા...મળતી માહિતી અનુસાર, ગત તા. ૧૮મી માર્ચના રોજ અંકલેશ્વરના ગડખોલ ગામના પીપળી ફળિયામાં રહેતા 38 વર્ષીય જીગ્નેશ પટેલ પાનોલીની ઈશા એગ્રો કંપનીમાંથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન પી.આઈ. કંપનીના ગેટ પાસે નંબર પ્લેટ વિનાની કાર કેટલાક શખ્સોએ અચાનક તેઓ પાસે આવી "તું ગડખોલ ગ્રામ પંચાયતમાં અરજી કરી અમારા માણસોને કેમ હેરાન કરે છે" તેમ કહી 4 જેટલા ઈસમોએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. મારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા રચના નગરમાં રહેતા હુમલાખોર સંજય ભરવાડ, જગદીશ ભરવાડ, અરવિંદ ભરવાડ અને ઉમેદરામ સુથારને ઝડપી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ
આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી
/connect-gujarat/media/media_files/2025/06/14/dp5xH69DxHkCtfq5ah76.jpg)
90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી
આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.