Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : હનુમાન વાડીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું, રોકડ રકમ સહિત દાગીનાની ચોરી...

રોકડ રકમ સહિત ઘરેણાં મળી અંદાજિત રૂપિયા 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વર : હનુમાન વાડીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું, રોકડ રકમ સહિત દાગીનાની ચોરી...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ઓમ ટાવર હનુમાન વાડી વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત ઘરેણાં મળી અંદાજિત રૂપિયા 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ઓમ ટાવર હનુમાન વાડી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર પ્રજાપતિના પત્ની અને પુત્રી બીમાર હોવાથી તેઓને વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..

ત્યારે જીતેન્દ્ર પ્રજાપતિ પોતાનું મકાન બંધ કરી શુક્રવારે દહેજ ખાતે કંપનીમાં નોકરી પર ગયા હતા. જેઓ કંપનીમાં જ રોકાઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં રહેલ 5 તોલા સોનાના ઘરેણાં અને રોકડ રકમ 5 હજાર મળી અંદાજિત કિંમત રૂપિયા 1.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચોરી અંગે શહેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story