અંકલેશ્વર : ને.હા પરથી ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પર પેરોલ પોલીસના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડીસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીત 4.26 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપાયા

New Update

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખુલ્લા મેદાનમાં ગેરયકાયદેસર બાયોડીઝલ જ્વલનશીલનો જથ્થો ઝડપાવાના મામલામાં સંડોવાયેલ આરોપીને પેરોલ પોલીસે ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલના જવલનશીલ પ્રવાહીના સ્થળે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી છોટા હાથી ટેમ્પોમાં મુકેલ બેરલમાંથી 2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડીસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીત 4.26 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ઈસમ ફરાર થઇ ગયો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરના કાપોદ્રા ગામની સાંઈ દર્શન સોસાયટીમાં તેના ઘરે છે જેવી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડ પોલીસે રેડ કરી હતી અને નાસ્તા ફરતા આરોપી જગદીશ ઉકાભાઈ ઢોલરીયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.