Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સમૃદ્ધિ પાર્કનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રોકડ સહિત ઘરેણાની ચોરી...

કાપોદ્રા પાટિયા નજીક આવેલી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત સમૃદ્ધિ પાર્ક સોસાયટીના મકાન નંબર B-18માં રહેતા વિક્રમસિંહ ગેમલસિંહ દેલાડાનો પુત્ર વડોદરા ખાતે અભ્યાસ કરે છે. જેથી તેઓનો પરિવાર વડોદરા ખાતે ભાડે મકાનમાં રહેવા ગયો હતો. જોકે, તેઓ દર શનિ-રવિવારે અંકલેશ્વર આવે છે. આ દરમિયાન ગત તારીખ 9મી માર્ચના રોજ તેઓ મકાન બંધ કરી વડોદરા ખાતે ગયા હતા, ત્યારે આ દાટમ્યાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં મકાનમાં રહેલ 5 તોલા સોનું અને ચાંદીના ઘરેણા સહિત 70 હજાર રકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, ત્યારે ચોરી અંગે પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક અંકલેશ્વર દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે ચોરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story