Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સારંગપુરની વિહારધામ સોસાયટીનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી

રાતના અંધારાનો લાભ લઈ તસ્કરોએ પપ્પુ રાવલના મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો,

અંકલેશ્વર : સારંગપુરની વિહારધામ સોસાયટીનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક આવેલ સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક આવેલ વિહારધામ સોસાયટીમાં રહેતા પપ્પુ નૈનુ રાવલ ગતરોજ રાત્રે પોતાના મકાનનો દરવાજો બંધ કરી સુઈ ગયા હતા. તે દરમ્યાન રાતના અંધારાનો લાભ લઈ તસ્કરોએ પપ્પુ રાવલના મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ઘરમાં રહેલ રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story