ભરૂચ : વછનાદ ખાતે ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો, રાહત દરે લાભાર્થીઓને ચશ્મા વિતરણ કરાયા...

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયત દ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો હતો.

New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયત દ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને વ્યાજબી ભાવે નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા.

Advertisment W3.CSS

વછનાદ ગ્રામ પંચાયતના સરપંચ વર્ષા પ્રવિણસિંહ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ ગીતા પરમાર, ગામના આગેવાન પ્રવિણસિંહ ચૌહાણ, પરાક્રમસિંહ ચૌહાણ, રઘુવીરસિંહ ચૌહાણ, ધનજી પરમાર, સત્યમસિંહ ચૌહાણ, હરવિંનસિંહ ચૌહાણ તથા ગુજરાત માનવ સેવા સમાજના પ્રમુખ તારક પરમારની હાજરીમાં ચક્ષુ નિદાન કેમ્પનો શુભારંભ થયો હતો. વછનાદ ગામના 63 જેટલા ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં જરૂરિયાતમંદોને માત્ર 60 રૂપિયામાં નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ ગામના મહિલા સરપંચ અને સામજિક સંસ્થાનો આભાર માન્યો હતો.

Latest Stories