Connect Gujarat
ભરૂચ

ભરૂચ : માઁ દશામાંની પ્રતિમાના વિસર્જન માટે જે.બી.મોદી પાર્ક નજીક તૈયાર કરાયું કુત્રિમ કુંડ…

માઁ દશામાં વિસર્જનને લઇ ભરૂચ પોલીસ તેમજ પાલિકા તંત્ર દ્વારા શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે

X
  • જે.બી.મોદી પાર્ક નજીક તંત્ર દ્વારા કુત્રિમ કુંડ તૈયાર કરાયું
  • કુત્રિમ કુંડમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ
  • જળ પ્રદૂષણને ધ્યાનમાં રાખી કુત્રિમ કુંડનું નિર્માણ કરાયું


માઁ દશામાં વિસર્જનને લઇ ભરૂચ પોલીસ તેમજ પાલિકા તંત્ર દ્વારા શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરની ધર્મપ્રેમી જનતા કુત્રિમ કુંડમાં માઁ દશામાંની પ્રતિમાનું વિસર્જન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

હાલ પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ ધર્મના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે છેલ્લા 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે માઁ દશામાં વિસર્જન હોવાથી ભરૂચ પોલીસ તેમજ પાલિકા તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરની ધર્મપ્રેમી જનતાને નર્મદા નદી સુધી જવું ન પડે તેમજ નર્મદા નદીનું સ્વચ્છ રહે તેવા હેતુથી શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડનું નિર્માણ કરાયું છે. જેથી સમગ્ર રાત્રી દરમ્યાન જાગરણ કરી વહેલી સવારે કુત્રિમ કુંડ ખાતે માઁ દશામાંનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story