ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે ગામમાં વાનરો દ્વારા તોફાન મચાવીને ગ્રામજનો પર હુમલા કરાતા હતા.ઉમધરા ગામે ગામમાં ઘણા સમયથી વાનરોની વસ્તી દેખાય છે. કેટલાક સમયથી એક તોફાની વાનરે ગામમાં તોફાન મચાવ્યુ હતુ.આ વાનરને અરીસાથી દુશ્મનાવટ હતી. અરીસો જોતા તે ભડકતો હતો. તોફાની વાનરે કેટલાક ઘરોમાં ઘુસીને ટીવી પણ તોડી નાંખ્યા હતા. ઘણા ગ્રામજનો તોફાની વાનરના હુમલાનો ભોગ બન્યા હતા
.તોફાની વાનર ગામમાં તોફાન મચાવતો હોવાથી સરપંચ કંચનભાઇ વસાવા,અગ્રણી હરેન્દ્રસિંહ રાજ અને ગ્રામજનો દ્વારા ઉમલ્લા વનવિભાગને રજુઆત કરવામાં આવી હતી.વનવિભાગ દ્વારા ગતરોજ ગામની મધ્યમાં પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ.દરમિયાન આજરોજ વનવિભાગ દ્વારા ગોઠવાયેલ પાંજરામાં એક વાનર આબાદ ઝડપાઈ ગયો હતો. પાંજરે પુરાયેલા કપિરાજને જોવા બાળકો અને ગ્રામજનો ઉમટ્યા હતા.
નજીકના સારસા ગામે પણ એક વૃધ્ધ મહિલા થોડા સમય પહેલા તોફાની વાનરના હુમલાથી ગંભીર રીતે જખ્મી થઇ હતી.વધુમાં જાણવા મળ્યા મુજબ ઉમધરા ગામે પાંજરે પુરાયેલ આ વાનરને વનવિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવામાં આવશે.