Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો નાટ્ય દીપો ભવ કાર્યક્રમ,12 નાટકો રજૂ કરાયા

નાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો.

ભરૂચ: નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો નાટ્ય દીપો ભવ કાર્યક્રમ,12 નાટકો રજૂ કરાયા
X

નાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલા ક્ષેત્રે વિશિષ્ટ સેવા બજાવતા અરવિંદભાઇ પરમારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કુલ ૧૨ નાટકોમાં ધો- ૬ થી ૧૨ નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ ભાગ લીધો સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અને ડાયરેક્ટર નોન ગ્રાન્ટેડ વિભાગ- ડૉ. ભગુભાઇ આઇ. પ્રજાપતિ ,ગ્રાન્ટેડ, ઇ. આચાર્ય બીનીતાબેન ગોહિલનાં માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ પરમાર, ચીમનભાઇ પરમાર વિધાબેન રાણા, ઉર્વશીબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રો.પી.કે.કેશપ-ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર અને રાષ્ટ્રીય ગૌરવ વિજેતા લાઇફ ટ્રાન્સફોર્મેશન કોચ, કેરીયર કાઉન્સેલર, સ્પીકર, રાઇટર લુધીયાના- પંજાબ, પ્રો . ડૉ મહિપતસિંહ રાઉલજી – નિવૃત્ત પ્રાધ્યાપક તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

Next Story