Connect Gujarat
ભરૂચ

ભરૂચ: તબીબના મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂ. 14 લાખથી વધુના માલમત્તાની ચોરી

વૈકુંઠ બંગ્લોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 14.22 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભરૂચ ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષ મલ્ટીપ્લેક્ષ પાસેના વૈકુંઠ બંગ્લોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 14.22 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષ મલ્ટીપ્લેક્ષ સ્થિત વૈકુંઠ બંગ્લોઝ ખાતે રહેતાં દિનેશ શનાભાઇ વસાવા સુરત સિવિલ હોસ્પિટલમાં ડિસ્ટ્રીક્ટ ટીબી સેન્ટરમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે.જેઓ ગત તારીખ-22મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે મકાન બંધ કરી ગયા હતા અને તેઓની પત્ની આણંદ ખાતે રહેતા તેઓના પુત્ર પાસે ગયા હતા તે દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું

તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા 20 હજાર અને 1 ઘડિયાળ મળી કુલ કુલ 14.22 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે ડોક્ટર દિનેશ વસાવાએ સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી એફ.એસ.એલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story