Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ નજીક એક કલાકમાં ત્રણ અકસ્માત,સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ અને જૂના નેશનલ હાઇવે પર એક જ કલાકમાં અકસ્માતની ત્રણ ઘટના જોવા મળી હતી

X

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ અને જૂના નેશનલ હાઇવે પર એક જ કલાકમાં અકસ્માતની ત્રણ ઘટના જોવા મળી હતી જો કે સદનસીબે આ બનાવમાં કોઈને પણ જાનહાની થઈ ન હતી

નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે છાપરા પાટિયા નજીક બે એસ. ટી બસ એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો એસટી બસના ચાલકે આચનક બ્રેક મારતા પાછળ આવતી એસટીની વોલ્વો ,કાર અને બાઇક એકબીજા પાછળ અથડાયા હતા.જેમાં બસમાં મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી.જ્યારે બાઇક સવારોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.જે બાદ અંકલેશ્વર -ભરૂચ તરફથી આવતી સ્વીફ્ટ કાર, ઇકો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જ્યારે ત્રીજા અકસ્માતમાં મારુતિ વાન ચાલકે અચાનક બ્રેક મારતાની સાથે જ વરસાદના કારણે થયેલા ભીના રોડ પર ગાડીના ટાયરોએ સ્લીપ મારતા વાન રોડ સાઈડ પર ઉતરી ગઈ હતી.

Next Story