ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સુકોમેવો અપાયા
વિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રતમાં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળાની વેફર તથા જરૂરી સામગ્રી આપવામાં આવ્યો.
BY Connect Gujarat Desk12 July 2022 7:08 AM GMT
X
Connect Gujarat Desk12 July 2022 7:08 AM GMT
વિત્ર ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજંરગ દળ, દુર્ગા વાહિની, માતૃશકિત દ્વારા પવિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રતમાં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળાની વેફર તથા જરૂરી સામગ્રી આપવામાં આવ્યો. આ પ્રસંગે વિરેન રામજીવાલા, સંદિપ પુરાણી, હેમાબેન પટેલ, સાલુબેન ચૌહાણ, મંદિર ના પુજારી તથા સેવાભાવી લોકોએ હાજર રહી કુંવારી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
Next Story