Connect Gujarat
સમાચાર

કોવિડ19 : ગુજરાત રાજ્યમાં આજે 1169 નવા કેસ નોધાયા, 1442 દર્દીઑ થયા સ્વસ્થ

કોવિડ19 : ગુજરાત રાજ્યમાં આજે 1169 નવા કેસ નોધાયા, 1442 દર્દીઑ થયા સ્વસ્થ
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1169 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે 1442 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,52,765 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3577 થયો છે. રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ છે, જ્યારે 1,33,752 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,358 લોકો સ્ટેબલ છે.

ગુજરાત રાજ્યમાં 1169 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 166, રાજકોટ કોર્પોરેશનમાં 84, વડોદરા કોર્પોરેશનમાં 87, સુરતમાં 83, જામનગર કોર્પોરેશનમાં 64, વડોદરામાં 41, રાડકોટમાં 28,, જામનગર અને મહેસાણામાં 25-25, કચ્છ અને પંચમહાલમાં 24-24, અમેરલી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં 21-21, મોરબીમાં 20 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 8 દર્દીઑના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1442 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. જેમાં આજે 50,979 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 50,63,684 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.55 ટકા છે.


Next Story