Connect Gujarat
ધર્મ દર્શન 

ભગવાન ગણેશ માટે બનાવેલ 21 કિલો વજનના લાડુની હૈદરાબાદમાં રૂ. 24 લાખમાં થઈ હરાજી...

હૈદરાબાદમાં પ્રખ્યાત બાલાપુર ગણપતિ ભગવાનના 21 કિલોના લાડુની હરાજી કરવામાં આવી છે. તેનું વેચાણ 24.60 લાખ રૂપિયામાં રેકોર્ડ છે

ભગવાન ગણેશ માટે બનાવેલ 21 કિલો વજનના લાડુની હૈદરાબાદમાં રૂ. 24 લાખમાં થઈ હરાજી...
X

દેશભરમાં 10 દિવસ બાદ શુક્રવારે ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન હૈદરાબાદમાં ભગવાન ગણેશના લાડુની હરાજી કરવામાં આવી છે. આ લાડુની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો...

દેશભરમાં ભગવાન ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના અનેક વિસ્તારોમાં ભગવાન ગણેશના ભવ્ય પંડાલો જોવા મળી રહ્યા છે. આજે ગણેશ વિસર્જન છે, ત્યારે આ દરમિયાન તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભગવાન ગણેશના લાડુની હરાજી કરવામાં આવી છે. બાલાપુર ગણેશના આ લાડુની 24.60 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે, તેનું વજન 21 કિલો છે. ભગવાન ગણેશના લાડુ ખરીદનાર વ્યક્તિનું નામ વી. લક્ષ્મણ રેડ્ડી છે. ઉદ્યોગપતિ લક્ષ્મણ બાલાપુર ગણેશ ઉત્સવ સમિતિના સભ્ય પણ છે.

હૈદરાબાદમાં પ્રખ્યાત બાલાપુર ગણપતિ ભગવાનના 21 કિલોના લાડુની હરાજી કરવામાં આવી છે. તેનું વેચાણ 24.60 લાખ રૂપિયામાં રેકોર્ડ છે. આ વર્ષે આ લાડુ બાલાપુર વિસ્તારના TRS નેતા વાંગેતી લક્ષ્મા રેડ્ડીએ સૌથી વધુ બોલી લગાવીને મેળવ્યો છે. વર્ષ 2021માં લાડુ માટે 18.90 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી, જ્યારે વર્ષ 2019માં લાડુ માટે 17.60 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. વર્ષ 2018માં તેની 16.60 લાખ રૂપિયાની કિંમતે હરાજી કરવામાં આવી હતી.

વર્ષ 2020 માં, કોરોના રોગચાળાને કારણે હરાજી રદ કરવામાં આવી હતી અને બાલાપુર ગણેશ લાડુને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને સોંપવામાં આવ્યા હતા. લાડુની હરાજીનો ઈતિહાસ ઘણો જૂનો છે, અને તે વર્ષ 1994થી ચાલી રહ્યો છે. અગાઉ આ લાડુ ભક્ત દ્વારા 450 રૂપિયામાં ખરીદાતા હતા અને ત્યારથી આ પરંપરા ચાલુ છે.

Next Story