આજે જન્માષ્ટમી પર બાલ ગોપાલની પૂજામાં કરો કૃષ્ણ આ વસ્તુઓ સામેલ, જાણો શું છે એનું મહત્વ
આ દિવસે કૃષ્ણ ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનાં પૂજા પાઠ કરવામાં આવે છે.
આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર . કૃષ્ણ ભક્તો વર્ષભર આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે.
આ વર્ષે જન્માષ્ટમીના દિવસે જયંતિ યોગ થઈ રહ્યો છે, જે ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના માટે ફળદાયી છે.
આ દિવસે કૃષ્ણ ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનાં પૂજા પાઠ કરવામાં આવે છે.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના પરમાવતાર છે, આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
તો ચાલો જાણીએ બાલગોપાલ કૃષ્ણને કઈ વસ્તુ વધારે પ્રિય છે.
1. જન્માષ્ટમીના પ્રસાદમાં પંચામૃતનો સમાવેશ કરો:-
પંચામૃત એ પાંચ વસ્તુઓમાંથી બનાવેલ પદાર્થ છે. જે શ્રી કૃષ્ણના આનંદ માટે સૌથી જરૂરી માનવામાં આવે છે.
દૂધ, દહીં, ઘી, ગંગાજળ અને મધ મિક્સ કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે. અને પંચામૃતથી ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન કરાવવામાં આવે છે.
તેથી, જન્માષ્ટમીના દિવસે પૂજામાં પંચામૃતનો સમાવેશ કરવો જોઈએ.
2. જન્માષ્ટમી પૂજામાં ગાયની મૂર્તિનું મહત્વ :-
ભગવાન શ્રી કૃષ્ણને ગાયો વધારે પ્રિય છે. આ જ કારણ હતું કે બાળપણમાં તેઓ ગાયના વાછરડાઓ સાથે રમતા હતા અને ગાયોને ચરાવવા માટે લઈ જતા હતા.
આથી ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ અને ગોવિંદ પણ કહેવામાં આવે છે. આ સિવાય જન્માષ્ટમીની પૂજામાં ગૌની નાની મૂર્તિનો સમાવેશ કરીને તમે કૃષ્ણને પ્રસન્ન કરી શકો છો.
3. જન્માષ્ટમી વ્રતમાં ધાણા બીજનું મહત્વ:-
કૃષ્ણની ઉપાસનામાં આખા ધાણાનું ઘણું મહત્વ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના ઉપવાસ દરમિયાન જમીન પર ધાણા ઉગાડવાથી પ્રસન્ન થાય છે.
સામાન્ય રીતે, જન્માષ્ટમીના દિવસે, ભક્તોએ ધાણાનો કુંજો બનાવીને શ્રી કૃષ્ણને અર્પણ કરવો જોઈએ. અને સાથે ધાણાની પંજરી બનાવી તેનો ભોગ ધરવામાં આવે છે.
વૈજયંતિના ફૂલોથી કૃષ્ણની પૂજા કરો:-
શ્રી કૃષ્ણ વૈજયંતીની માળા ગળામાં પહેરતા હતા. તેથી જન્માષ્ટમીની પૂજામાં વૈજયંતીના ફૂલોનું પોતાનું મહત્વ રહેલું છે.
જન્માષ્ટમીના દિવસે પૂજામાં વૈજયંતીના ફૂલો અર્પણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે.