આપઘાત કરનાર દુઃખોથી દૂર જવાની માનસિકતા સાથે આત્મહત્યા કરીને જીવનલીલા ને  સમાપ્ત કરી નાખે છે

વર્ષ 2020 અને 2021ના કોરોના કાળના કપરા સમય પછી જીવનનું ધબકવું તો સામાન્ય બની ગયું પરંતુ ઘણા ખરા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા,તો બીજી તરફ આર્થિક રીતે કમર તૂટી ગઈ હોવાના કિસ્સાઓ સમાજમાં પ્રકાશમાં આવ્યા છે..

New Update
Suiside

ગુજરાતમાં દિન પ્રતિદિન આપઘાતના કિસ્સાઓચિંતાજનક રીતે વધી રહ્યા છે,નેશનલક્રાઇમ રેકોર્ડબ્યુરો દ્વારા આ અંગે ચોંકાવનારી માહિતી રજૂ કરવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ સમગ્ર દેશમાં ગુજરાતમાં આત્મહત્યાનીઘટનાએ8 માં ક્રમાંકે આવે છે.

વર્ષ 2020 અને 2021નાકોરોના કાળના કપરા સમય પછી જીવનનું ધબકવુંતો સામાન્ય બની ગયું પરંતુ ઘણા ખરા લોકોએપોતાના સ્વજનોને ગુમાવ્યા,તો બીજી તરફ આર્થિક રીતે કમર તૂટી ગઈ હોવાના કિસ્સાઓ સમાજમાં પ્રકાશમાં આવ્યા છે,એક સમયે ખુબ જદુઃખદ ઘટના હોય અસહ્ય ત્રાસનીપીડાથી કોઈ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી નાખે તે ભાગ્યે જ આવી ઘટના ઘટતી હતી,પરંતુ છેલ્લા એક બે વર્ષમાં જોઈએતો સામૂહિક આપઘાતનીઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

રાજ્યના અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ સહિતના જિલ્લાઓઅને શહેરમાં આ પ્રકારની દુઃખદ ઘટનાઓબનતી રહે છે.પરીક્ષામાં નિષ્ફળતા,નોકરી ન મળવી,લગ્નમાં અવરોધ, પ્રેમલગ્નમાં નિષ્ફ્ળતા,શિક્ષિત બેરોજગારી,ધાર્યું કામ ન થવું,આર્થિક સંકડામણવિશ્વાસઘાતનો ભોગ બનીને ઊંડો આઘાત લાગવો,પારિવારિક,સામાજિક સહિતની બાબતોનાકારણે આપઘાત નીઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.

કહેવાય છે કે જે લોકો આત્મહત્યા કરે છે તેમને જીવન ટૂંકાવવાની ઈચ્છા હોતી નથી પરંતુ તેઓ સંજોગોને સ્વીકારી શકતા નથી,અને દુઃખોથી દૂર જવાની માનસિકતા સાથે આત્મહત્યા કરીને જીવનલીલાને સમાપ્ત કરી નાખે છે.

સૂત્રોદ્વારા જાણવા મળ્યા મુજબ નેશનલક્રાઇમ રેકોર્ડબ્યુરોનાઆંકડા મુજબ અંદાજિત માત્ર સુરતમાં છેલ્લા એકાદ મહિનામાં 70 થી વધુ લોકોએઆત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.અને ગુજરાતમાં એક વર્ષમાં 9002 લોકોએ આપઘાત કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.સમગ્ર દેશમાં ગુજરાત આપઘાતના રેન્કમાં 8માં નંબર પર આવે છે.

જાણકારોકહે છે કે ભલે દુઃખોનો પહાડ તૂટી પડે પરંતુ જીવન ટૂંકાવવુંજોઈએ નહીં, જ્યારે વ્યક્તિ ખુબજ ઊંડા દુઃખમાં ડૂબ્યો હોય કે એને પોતાની સમસ્યા માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તોજન જડે તો શું કરી શકેએ પ્રશ્ન પણ વિચાર કરવા માટે મજબુર કરે છે,ત્યારે આવા સમયે વ્યક્તિએપોતાના અંગત લોકો સાથે પોતાની વાત રજૂ કરવી જોઈએ અને શક્ય હોય તે મદદ થકી વ્યક્તિનેખોટું પગલું ભરતા પહેલા બચાવીશકાય છે, હા જોકે આવી વ્યક્તિની સમસ્યાનેજાણ્યા બાદ તેની વાતનેમજાક કે ઘટનાને હાસ્યાસ્પદ બનાવવીન જોઈએ નહીતો તેવ્યક્તિ વધુ સંવેદન થઈને ન ભરવાનું પગલું ભરી લેશે અને તેનો પરિવાર દુ:ખના પહાડ નીચે દબાઈ જશે.