Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાશે

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે તા. 15 ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાશે,

બનાસકાંઠા : અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાશે
X

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે તા. 15 ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાશે, ત્યારે ભવ્ય દર્શનનો લાભ લેવા તમામ માઇભક્તોને મંદિર ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે.

દાંતા તાલુકામાં આબુ રોડ નજીક આવેલ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાના આઠમા પાટોત્સવનું ભવ્ય આયોજન આગામી તા. 15 ફેબ્રુઆરી મંગળવારના રોજ કરવામાં આવ્યું છે, ત્યારે આ ભવ્ય પાટોત્સવની ઉજવણી દરમ્યાન પાલખી યાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ શક્તિપીઠના દરેક મંદિરો પર પૂજાવિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવશે. ઉપરાંત વિશિષ્ટ યજ્ઞ સહિત તમામ મંદિરોને ફૂલોથી શણગારવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, શક્તિપીઠના સંતો અને મહંતો, સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો, મંદિર સદસ્યો સહિત યાત્રાળુઓ આ ભવ્ય કાર્યક્ર્મમાં હાજરી આપશે, ત્યારે 51 શક્તિપીઠના એક જ સ્થળે ભવ્ય દર્શનનો લાભ લેવા માઇભક્તોને અપીલ કરવામાં આવી છે.

Next Story