ભરૂચ : ડચ કબ્રસ્તાન છે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમુનો, શું તંત્ર જાળવણી માટે આવશે આગળ ?

ભૃગુઋુષિની પાવન ધરા ભરૂચ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. વિદેશી શાસનકર્તાઓના સ્થાપત્યો હજી પણ ઇતિહાસની ગવાહી પુરી રહયાં છે

New Update
ભરૂચ : ડચ કબ્રસ્તાન છે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમુનો, શું તંત્ર જાળવણી માટે આવશે આગળ ?

ભૃગુઋુષિની પાવન ધરા ભરૂચ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. વિદેશી શાસનકર્તાઓએ બનાવેલા સ્થાપત્યો હજી પણ ઇતિહાસની ગવાહી પુરી રહયાં છે ત્યારે બંબાખાના વિસ્તારમાં આવેલાં ડચ કબ્રસ્તાનના નવીનીકરણ અને જાળવણી માટે તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે....

Advertisment

ભાંગ્યુ તોય ભરૂચ.... ભરૂચ શહેર માટે આ કહેવત લોકોના મુખે સાંભળવા મળે છે પણ ભરૂચ શહેર ભવ્યાતિભવ્ય ભુતકાળ ધરાવે છે. ભરૂચ એક જમાનામાં વેપારનું મુખ્ય કેન્દ્ર હતું અને દેશ અને વિદેશના જહાજો ફુરજા બંદર ખાતે લાંગરતા હતાં. ભરૂચ બંદરેથી કપાસ, તેજાના સહિતની ચીજવસ્તુઓનો વેપાર થતો હતો. ખાસ કરીને અંગ્રેજ, પોર્ટુગીઝ અને ડચ ( વાલંદા) વેપારીઓ વેપાર કરવા માટે ભરૂચ આવતાં હતાં. બ્રિટીશરો અને વાલંદાઓએ વેપાર માટે ભરૂચમાં વખારોની સ્થાપના કરી હતી. ગુજરાતના રાજા સિધ્ધરાજ જયસિંહે ભરૂચ શહેરના રક્ષણ માટે નર્મદા નદીના કિનારે કિલ્લો બનાવ્યો હતો જે આજે પણ હયાત છે. આ કિલ્લાથી ત્રણ કિમી દુર ડચ ( વાલંદા)ઓએ કબ્રસ્તાન બનાવ્યું હતું અને તેની સ્થાપના 16મી સદીમાં કરવામાં આવી હતી. આ કબ્રસ્તાનમાં ચાર ડચ કબરો હજી પણ મોજુદ છે. ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપિકા મીનળબેન દવેએ જણાવ્યું હતું કે, ડચ સિમેટ્રીએ ઐતિહાસિક વારસો છે. તે ડચ સ્થાપત્યની કલા અને વિશેષતાને રજુ કરે છે અને કબરોની રચના વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના ગુંબજને મળતી આવે છે. ભરૂચમાં અનેક વિદેશી પ્રજા વેપાર માટે આવી હતી. 1772માં અંગ્રેજોના આગમન બાદ ડચ વેપારીઓ ભરૂચ છોડીને ચાલ્યાં ગયા હતાં પણ સ્થાપત્યનો વારસો મુકી ગયાં છે. હાલ ડચ સિમેટ્રીના ખસ્તાહાલ છે. વહીવટીતંત્રએ આ ઐતિહાસિક અને ભવ્ય વારસાને બચાવવા માટે પગલાં ભરવા જોઇએ..

Advertisment
Read the Next Article

ઓપરેશન સિંદૂર’ બાદ દ્વારકામાં સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો, મરીન પોલીસનું જબરજસ્ત પેટ્રોલિંગ...

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથી, દ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

New Update
  • 3 દિશાએ દરિયાથી ઘેરાયેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો

  • ઓપરેશન સિંદૂર બાદ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો

  • દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

  • 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ કરાયો

  • ગેરકાયદે માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ 20 બોટ જપ્ત 

Advertisment

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્ર સીમામાં સુરક્ષામાં વધારો કરાયો છેજ્યાં મરીન પોલીસ દ્વારા જબરજસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છેત્યારે ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથીદ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સત્તાવાળાઓએ જિલ્લાના 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે.

મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ અનેક બોટને પકડવામાં આવી છે. આ બોટો જરૂરી ટોકન્સ વિના અથવા જૂના ટોકન્સનો દુરુપયોગ કરીને તેમજ હોકાયંત્રએન્ડ્રોઇડ બેરોમીટર અને ઇમરજન્સી સ્મોક સિગ્નલ જેવા આવશ્યક સાધનો વિના ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકેઆ ઉલ્લંઘન બદલ દ્વારકા જિલ્લા પોલીસે ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ અને BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે. જેમાં બેટ દ્વારકાવાડીનારસલાયાદ્વારકા અને ઓખા નજીકના વિસ્તારોમાંથી 20 બોટ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment