ભરૂચ: રન ફોર યુનિટી પર મુંબઈથી નીકળેલ અભિનેતા મિલિન્દ સોમનનું અંકલેશ્વરમાં સ્વાગત

બૉલીવુડના જાણીતા અભિનેતા મિલિન્દ સોમન દ્વારા મુંબઈ થી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update

બૉલીવુડના જાણીતા અભિનેતા મિલિન્દ સોમન દ્વારા મુંબઈ થી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ તેઓ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ભારતીય ફિલ્મ જગત બોલીવુડના જાણીતા અભિનેતા, નામાંકિત મોડેલ અને પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિન્દ સોમન મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોક થી કેવડિયા - સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય એકતા દોડનો તારીખ ૧૫મી ઓગષ્ટના રોજ પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રીનાં આહવાનથી પ્રેરીત થઇને એકતાના સંદેશ સાથે ૮ દિવસમાં ૪૫૦ કિલોમીટરનું અંતર દોડીને કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે ત્યારે માર્ગમાં આવતા વિવિધ જીલ્લામાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહયું છે. આજરોજ અભિનેતા ભરુચના અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ખરોડ ગામ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં તેઓ આગળ જવા માટે રવાના થશે.મિલિન્દ સોમને આ પ્રસંગે જણાવ્યુ હતું કે દેશવાસીઓ એક સાથે મળીને કોઈ પણ સમસ્યાનો સામનો કરે તો એ સમસ્યાનો હલ આવી શકે છે.એકતાનો સંદેશ આપવા તેઓ દ્વારા આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે

Latest Stories